મોટા ભાગના લોકોને નહીં ખબર હોય કે ચોટીલા પર્વત પર રાત્રે કેમ કોઈ રોકાઈ શકતું નથી.

આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવા જ આપણે આ ચોટીલા મંદિરની વાત કરીશું. ચોટીલા મંદિરએ આપણું પ્રસિધ્ધ ધામ માનવામાં આવે છે.

આ મંદિર ઉપર જવા માટે છસો પાંત્રીસ જેટલા પગથિયાં ચડવા પડે છે. આ મંદિર માં પહોંચ્યા પછી માતાના પરિસરમાં ભારે ભક્તો માં ચામુંડા ના દર્શન કરવા માટે આવેલા હોય છે.

આ ચોટીલાનો ડુંગર હજારો વર્ષ જૂનો એવો ઉલ્લેખ થાન પુરાણના પુસ્તકમાં જોવા મળે છે. આ મંદિરમાં દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંદ અને મૂંડ નામના બે રાક્ષસો લોકોને બહુ હેરાન કરતા હતા. પછી આ મંદિરના ઋષિમુનિયો એ યજ્ઞ કરી આદ્યશક્તિને પ્રાર્થના કરીને રાક્ષસોને સાચો રસ્તો દેખાડયો હતો. પછી ત્યારથી જ આ માતા ચામુંડા કહેવાય હતા.

હાલના સમયમાં તો આ માતા ચામુંડમાંનું મંદિર બનાવેલી છે, અહીં એકસો પચાસ વર્ષ પહેલા તો એક ઓરડો જ બનાવેલો હતો. તેમ છતાં પણ માં ચામુંડમાના દર્શને તો ભક્તો આવતા જ હતા.

આ મંદિરનું આ એક ખાસ મહત્વ છે કે આ ચામુંડમા દિવસમાં પોતાનું ત્રણ વખતે સ્વરૂપ બદલે છે. જેવા કે બાલિકા સ્વરૂપ,વૃદ્ધા સ્વરૂપ અને કોપાયમાન સ્વરૂપ એમ ત્રણ વાર સ્વરૂપ બદલે છે. માં ચામુંડા બધાના કુળદેવી પણ માનવામાં આવે છે.

આ મંદિરમાં માં ચામુંડાની બે મૂર્તિઓ છે એક ચંદી અને બીજી માં ચામુંડમાંની આ મંદિરમાં દિવસના હજારોથી પણ વધારે દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે. પરંતુ સાંજ પડતા આરતી પુરી થાય એટલે આ બધા ભક્તોએ અને મંદિરના પુજારીને પણ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે.

આ મંદિરમાં માત્ર નવરાત્રીમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. આથી આ મંદિરમાં જે ભક્તો માતાજીના દર્શને આવે છે તેમની બધી મનોકામના પુરી થાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *