એક સમયે IPL માં આ દેશનાં ખેલાડીઓનો હતો ખુબ જ દબદબો, આ વખતે એકપણ ખેલાડી નહીં રમે મેદાન પર..જાણો નામ

ભારતની સૌથી મોટી રમત ક્રિકેટ અને ક્રિકેટનું સૌથી મોટા ફોર્મેટ છે આઇપીએલ. આઇપીએલમાં આ વર્ષે ફરી એક વાર ખેલાડીઓની હરાજી થઇ હતી. આ વર્ષે ફરી એકવાર ઘણા ખેલાડીઓ ઉપર પૈસાનો વરસાદ થયો. ઘણા એવા પણ ખેલાડી હતા કે જેમને તેમને અપેક્ષા કરતાં પણ વધારે પૈસા આપવામાં આવ્યા. તેની સાથે ઘણા એવા પણ ખેલાડીઓ છે જે ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા હતા પરંતુ તેમને કોઈપણ જાતના કોઇ ખરીદનાર ન મળ્યા.

આ વખતે ઓકશનમાં સૌથી વધારે ખરાબ હાલત શ્રીલંકાના ખેલાડીઓની રહી. એક સમયે શ્રીલંકાનુ ક્રિકેટના જગતમાં રાજ હતું. આજે એજ શ્રીલંકાની ટીમ આવી રીતે નિરાશ કરશે એવું કોઈએ પણ વિચાર્યું ન હતું. ૨૦૦૭ અને ૨૦૧૧ના વિશ્વ કપમાં એક સાથે  ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવાવાળી શ્રીલંકાની ટીમ આજે પોતાના ઘરનાં જ મેદાનમાં મેચ હારી રહી છે. શ્રીલંકાની ટીમની રૈકિંગ પણ આ સમયે વધારે સારી નથી. શ્રીલંકા ટેસ્ટ અને ટી-ટ્વેન્ટીમાં ૭માં સ્થાન પર છે. જ્યારે વન-ડેમાં ૮માં સ્થાન પર રહેલ છે.

ધ્યાન આપવા જેવું છે કે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલમાં શ્રીલંકા ના 3 ખેલાડી 3 અલગ અલગ ટીમોના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. હવે એવો સમય આવી ગયો છે કે કોઈપણ શ્રીલંકન ખેલાડી આઈપીએલમાં વહેચાયેલ પણ નથી રહ્યો. કોઈપણ ટીમ શ્રીલંકાના ખેલાડીમાં ઇન્ટરેસ્ટ નથી બતાવી રહી. વર્તમાનમાં પણ ઘણા ભૂતપૂર્વ શ્રીલંકન ખેલાડી આઇપીએલ ટીમનાં કોચિંગ સ્ટાફમાં છે. આઇપીએલનાં ૧૪માં સંસ્કરણમાં એક પણ શ્રીલંકન ખેલાડી વહેચાણો નથી.

આ દરમિયાન સૌથી વધારે હેરાન કરવા વાળી વાત એ રહી કે ૧૪ વર્ષનાં આઇપીએલનાં ઈતિહાસમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજીમાં કોઈપણ ફ્રેન્ચાઇઝીએ શ્રીલંકન ખેલાડીનાં નામ પણ નથી લીધા. જ્યારે IPLની કેટલીક સિઝન એવી રહી હતી જ્યારે શ્રીલંકાનાં ખેલાડીઓનો ખુબ જ સારો દેખાવ રહ્યો છે. પહેલાની વાત કરવામાં આવે તો શ્રીલંકાના આ ખેલાડીઓ એ આઇપીએલની ૩-૩ ટીમનું નેતૃત્વ કર્યું છે.

શ્રીલંકાનાં પહેલાના ખેલાડી એન્જેલો મેથ્યુઝને પૂણે વોરિયર્સ ઇન્ડિયા, મુંબઇ ઇન્ડિયન્સ ના કોચ મહેલા જયવર્ધને કોચ્ચિ અને કુમાર સંગાકારાને હૈદરાબાદની એક જ સીઝનમાં કપ્તાની સંભાળી હતી. એના સિવાય લસિથ મલિંગા, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન જેવા ખેલાડીઓની ખૂબ જ સારી જમાવટ રહી છે. લસિથ મલિંગા આઈપીએલમાં શ્રીલંકાનો સૌથી ફેમસ અને સફળ ચહેરો રહી ચૂક્યો છે.

લસિથ મલિંગા મુંબઈ તરફથી રમતા હતા. મલિંગાએ ઘણીવાર આઈપીએલમાં પર્પલ કેપ પણ મેળવેલી છે. કુમાર સંગાકારા ઘણા વર્ષો સુધી પંજાબ અને હૈદરાબાદના કેપ્ટન રહી ચૂક્યા છે. આ બંને સિવાય મેથ્યુઝ અને જયવર્ધન પણ ઘણા વર્ષો સુધી આઈપીએલ ફ્રેન્ચાઈઝીની પસંદમાં સામેલ રહી ચૂક્યા છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા હાલનાં સમયે રાજ કુંદ્રાની ટીમ રાજસ્થાન રોયલ્સનાં ડાયરેક્ટર ઓફ ક્રિકેટ છે.

પહેલાની શ્રીલંકન ટીમના કેપ્ટન મહેલા જયવર્ધન મુંબઈના બેટિંગ કોચ છે. એ સિવાય મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન સનરાઇઝર્સ હૈદરાબાદનાં બોલિંગ કોચ તરીકે જળવાઈ રહ્યા છે. આ લોકોએ પણ શ્રીલંકાના ક્રિકેટર્સને એટલી મહત્વતા ન આપી. શ્રીલંકા ક્રિકેટની આ હાલત માટે કુમાર સંગાકારાએ બોડૅને જવાબદાર ગણાવ્યું છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *