મા ખોડિયારની દંતકથા લગભગ 700 એડીની માનવામાં આવે છે. તે રોયશાલા નામના ગામથી શરૂ થાય છે. આ રોયશાલા હાલના ભાવનગર શહેર નજીક વલ્લભીપુર પ્રાંતનો એક ભાગ હતો.
રાજપરા ગામ ખાતે ખોડીયાર માતાજીનું મંદિર ખુબ જ લોકપ્રિય છે. તે ભાવનગર શહેરથી 18 કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે. મંદિરની નજીક એક તળાવ છે.
માનવામાં આવે છે કે લાપસી ખોડીયાર માનું સૌથી શુભ આહાર છે. આમ માં ખોડલને ખુશ કરવા માટે હમેશાં તેમને પ્રસાદી તરીકે લાપસી જ ધરવામાં આવે છે.
સનાતન ધર્મમાં મંત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો મંત્રનો જાપ જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે જીવનની સ્થિતિમાં પણ પરિવર્તન લાવે છે.
પરંતુ ઘણી વખત ઘણા લોકો યોગ્ય રીતે મંત્રોચ્ચાર કરી શકતા નથી. અને જ્યારે તે લોકોને મંત્રના પરિણામ મળતા નથી, ત્યારે તેમની શ્રદ્ધા ડૂબવા લાગે છે.
આમ આજે ખાસ આ લેખમાં એ મહાશક્તિશાળી મંત્ર વિષે વાત કરી છે કે જે તમને ખુબ જ ધનવાન અને સમૃદ્ધ બનાવી શકે છે. આજે શાસ્ત્રોના આધારે તે આવો શક્તિશાળી મંત્ર અહી રજુ કર્યો છે, તો ખાસ જાણીલો માં ખોડીયારના આ મંત્ર વિષે તમે પણ…
મુશ્કેલ કાર્યોમાં સફળતા, અવરોધો દૂર કરવા અને બુદ્ધિના ફાયદા માટે તમારે આ મંત્રને યાદ રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે.
કર્તવ્યો અને ફરજો પર અડગ બનવા, અશુભનો નાશ કરવા અને શુભ બાબતો વધારવા માટે પણ આ મંત્રનો જાપ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે સાથે એક વિશેષ બાબત એ પણ છે કે, આ મંત્ર કોઈપણ રૂપે સર્જન શક્તિ અને સર્જનાત્મકતા વધારવા માટે શુભ છે.
મંત્ર : ઓમ ખોડિયાર માતાય નમ :
માનવામાં આવે છે કે અ મંત્ર અવરોધોનો નાશ કરવા, દુષ્ટ અને શત્રુઓને હરાવવા અને અહંકારનો નાશ કરવા માટે મહત્વપૂર્ણ છે.
જીવનમાં આવતા અવરોધોથી છૂટકારો મેળવવા માટે આ મંત્રનો જાપ દરરોજ સવારે કરવો જોઈએ. ફક્ત આ મંત્રનો શ્રવણ કરવાથી સાત જન્મોનાં પાપથી પણ મુક્તિ મળી શકે છે.
જીવનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંત્રનો જાપ કરતી વખતે શુદ્ધતા માટે વિશેષ કાળજી લેવી જોઈએ. જીવનમાં આવતી કોઈપણ પ્રકારની વિઘ્નોથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે આ મંત્રનો જાપ કરો.
આમ સનાતન ધર્મમાં જાપનું મહત્વ વિશેષ માનવામાં આવે છે. જો મંત્રોનો જાપ યોગ્ય રીતે કરવામાં આવે તો તે જીવનની સ્થિતિ અને દિશા બંને બદલી શકે છે.
હિન્દુ ધર્મનો સૌથી શક્તિશાળી મંત્ર :
ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।
મહામૃત્યુંજય મંત્ર પણ શક્તિશાળી માનવામાં આવે છે. સૌથી શક્તિશાળી મંત્ર એ તેની આદર, શ્રદ્ધા, નિશ્ચય શક્તિ અને સમર્પણ છે. કોઈપણ મંત્ર તમને આપવામાં આવે છે, તે ત્યારે જ કાર્ય કરશે જ્યારે આ બધી બાબતો કરવામાં આવશે.