મોરબીના આહીર પરિવારને માં મોગલે આપ્યો સાક્ષાત પરચો, પરિવાર જયારે માનતા પુરી કરવા માટે માના ધામમાં ગયો તો બાપુએ પણ તેમને એક એવી વાત કીધી કે…

મિત્રો માં મોગલના પરચા તો તમે જાણતા જ હશો. માં મોગલ પોતાના બાળકોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. એકવાર માં મોગલ કોઈના માથા પર પોતાનો હાથ મૂકી દે છે. તો તેના જીવન કયારેક દુઃખ નથી આવતું.

માં મોગલના આજ સુધી હજારો લાખો ભક્તોને પરચા થયા છે. આજે અમે તમને એક ભક્ત સાથે થયેલા માં મોગલના પરચા વિષે જણાવીશું.મોરબીના આહીર પરિવારે કચ્છના કાબરાઉ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની બાધા રાખી હતી.

હે માં જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ અને બાધા રાખ્યાના થોડા જ સમયમાં મોરબીના આ આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓને જન્મ થયો હતો. દીકરીઓનો જન્મ થવાથી પરિવારનો દરેક સભ્ય ખુબજ ખુશ હતો.

આ આહીર પરિવાર પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કચ્છના કાબરાઉ મોગલ ધામ આવ્યો હતો. ત્યાં ચારણ બાપુને માનતા પુરે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું. તો બાપુ એ તે સોનાનું છત્ર લઇ અને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું હતું કે તમારી માનતા પુરી થઇ ગઈ. સોનાનું છત્ર પાછું મળતા આહીર પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો.

તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાધા ને આપનાર આ માં મોગલ છે. તેની પાસે તો બધું જ છે. માં મોગલને સોનુ ચાંદી નથી જોઈતું. માં મોગલને તો સાચો ભાવ જોવે છે. માં મોગલ બધાની રક્ષા કરે છે. સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂરથી પુરી કરે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *