ભોજન બનાવવાથી લઈને ભોજન કરવા સુધી આ ભુલો કરવાથી બચવું જોઈએ, તો જ તમારા પર વરસશે માં લક્ષ્મીજીની કૃપા..

ઘણી વખત જોવામાં આવે છે કે આપણે પોતાનું જીવન હસી-ખુશી થી પસાર કરીએ છીએ પરંતુ અચાનક થી જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. આવી સ્થિતિમાં કંઇ પણ સમજમાં આવતું નથી કે આખરે આવું શા માટે બની રહ્યું છે? તમને જણાવી દઈએ કે આપણા જીવનમાં સુખ દુઃખ સાથે સંબંધિત બધી વાતોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવેલ છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક હિસ્સા વિશે જાણકારી આપવામાં આવેલી છે. સુખી અને સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે. જો વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા નિયમોનું પાલન કરે છે તો તેનાથી ઘણી બધી પરેશાનિઓ માંથી બચી શકાય છે. વાસ્તુ દોષને કારણે આપણા જીવન પર ખરાબ અસર પડે છે.

વાસ્તુશાસ્ત્રમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ભોજન બનાવવાથી લઈને ભોજન કરવા સુધી અમુક ભૂલો થતી હોય છે, જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેના કારણે આપણી આર્થિક સ્થિતિ ઉપર ખરાબ પ્રભાવ પડી શકે છે. આખરે વાસ્તુશાસ્ત્ર અનુસાર કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો તેના વિશે અમે તમને આ આર્ટિકલમાં વિસ્તારપૂર્વક જણાવીએ.

ભોજન કરતાં સમયે આ ભૂલો કરવી નહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઇએ. કારણ કે પૂર્વ દિશાને દેવતાઓની દિશા બતાવવામાં આવેલ છે અને આ દિશામાં મુખ રાખીને ભોજન કરવું શુભ માનવામાં આવે છે. તે સિવાય ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ થતી નથી.

શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે હંમેશા ભોજન સ્નાન કર્યા બાદ જ ગ્રહણ કરવું જોઇએ. કારણ કે ભોજનને અન્નપૂર્ણા માનવામાં આવે છે. જો વ્યક્તિ હાથ-પગ અને મોઢું ધોઈને ભોજન કરે છે, તો તેનાથી તેના આયુષ્યમાં વધારો થાય છે.

વાસ્તુ અનુસાર જો રસોડામાં કામ કરતા સમયે જાણતા-અજાણતામાં કોઈ વાસણ તૂટી જાય અથવા તો કોઈ ફ્લેટ અથવા કટોરી તૂટી જાય છે તો તેવી પરિસ્થિતિમાં તુરંત તેને બહાર ફેંકી દેવી જોઈએ. કારણ કે તૂટેલા વાસણોમાં ભોજન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવવાની સંભાવના વધારે રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પોતાની પ્લેટમાં એટલું જ ભોજન લેવું જોઈએ જેટલી તેની ભૂખ છે. આપણે જરૂરિયાત કરતાં વધારે ભોજન લઈને તેને બરબાદ કરવું જોઈએ નહીં. જો તમે પ્લેટમાં વધારે ભોજન લઈને તેને કચરાપેટીમાં ફેંકી દો છો તો તેના કારણે ભોજનનું અપમાન થાય છે.

તમારે તે બાળકનું ધ્યાન રાખવાનું રહેશે કે ક્યારે પણ ગુસ્સામાં આવીને ભોજન કરવું જોઈએ નહીં અને ગુસ્સામાં આવીને ભોજન છોડવું જોઈએ નહીં. કારણ કે તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે.

કિચન સાથે જોડાયેલ વાસ્તુનું ધ્યાન રાખો

ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ક્યારેય પણ કિચન બનાવવું જોઈએ નહીં. તમારે પોતાના ઘરમાં કિચન દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. આ દિશાને આગ્નેય ખુણો કહેવામાં આવે છે. આ દિશામાં જો કિચન બનાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન બનાવવાની શુભ દિશા પૂર્વ દિશા જણાવવામાં આવે છે. તમે પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખીને ભોજન બનાવી શકો છો. આ દિશામાં પકાવેલું ભોજન સમગ્ર પરિવાર માટે સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય ને લઇને આવે છે.

કિચનનો ચુલો ભોજન બનાવ્યા બાદ ગંદો છોડવો જોઈએ નહીં. સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ચુલો ધન અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *