આજના સમયમાં પૈસા એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. જો પૈસા તમારા ખિસ્સામાં હોય તો તમને આત્મવિશ્વાસ બની રહે છે.
આ જ કારણ છે કે વ્યક્તિ તેની કમાણી માટે દિવસ-રાત મહેનત કરે છે. મોટાભાગના લોકો કમાણી કર્યા પછી પૈસા બચાવવાનું પસંદ કરતાં હોય છે.
આવી સ્થિતિમાં લોકો આ નાણાં બેંક ઉપરાંત ઘરની તિજોરી અથવા આલમારીમાં બચાવે છે. તમારી પાસે બેંકમાં કરોડો કરોડ રૂપિયા હશે,
પરંતુ ઘરની આલમારી અથવા તિજોરીમાં બરકત જાળવવા માટે કેટલાક પૈસા રાખવાના રહેશે. ઘણા લોકો તેમાં ઝવેરાતને બંધ રાખવાનું પણ પસંદ કરે છે.
આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે જો તમે અલમારીની અંદર અમુક પ્રકારની ચીજો રાખશો તો તમારું ઘરની બરકત ઓછી થઈ શકે છે. પૈસાના મામલામાં તમારું નસીબ દગો આપી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, સંપત્તિની માતા દેવી લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે. તો આ ચાર વસ્તુને આલમારીમાં રાખશો નહીં.
ગંદા કપડાં
ઘરના આલમારીમાં હંમેશાં સાફ-ધોયેલા કપડા રાખવા જોઈએ. ગંદા અને બાસ-મારનારા કપડા અલમારી મા રાખવા જોઈએ નહિ. આ ગંદા કપડા પડ્યા પડ્યા ઘણી નકારાત્મક ઉર્જા પેદા કરે છે.
આ ખરાબ ઉર્જાને કારણે, આલમારીમાં રાખેલા પૈસા પર પણ નકારાત્મક અસર પડે છે. તે ઝડપથી ખર્ચ થવા લાગે છે. ગંદા કપડાં વધવાથી માતા લક્ષ્મી એની પાસે પણ નથી આવતી. તેથી હંમેશાં આલમારીમાં ગંદા અને ગંધાતા કપડા રાખવાનું ટાળો.
ફાટેલા કપડાં
ઘણા લોકો મહિનાઓ કે વર્ષો સુધી ફાટેલા જૂના કપડા પડી રહેવા દે છે. આ ગરીબીને પણ આમંત્રણ આપે છે. તેથી વધુ સારું છે કે ફાટેલા કપડાં સીવવા અથવા તેમને કોઈ અન્ય જગ્યાએ મૂકી દો.
જો કપડાં ખૂબ જ જુના થઈ જાય, તો તેમને પૈસાની આલમારીમાં રાખશો નહીં. આ વસ્તુઓને કોઈ અન્ય કબાટ અથવા પેટીમાં રાખી શકાય છે.
ધુળ,માટી અને જાળા
ઘરની કબાટ અથવા તિજોરી હંમેશા સાફ કરતા રહો. તેમા ભૂલથી પણ માટી, ધૂળ અથવા કરોળિયાના જાળા જમા ન થવા દો. જેમ કે તમે બધા જાણો છો કે સંપત્તિ ની દેવી માં લક્ષ્મી હંમેશાં સાફ સુથરા ગૃહો અને સ્થાનો પર આવવાનું પસંદ કરે છે.
તે નકારાત્મક ઉર્જા ને વધારે છે જે લક્ષ્મીજીને બિલકુલ પસંદ નથી. તેથી તમારે તમારા ઘરના આલમારી સાફ કરવાની વિશેષ કાળજી લેવી જોઇએ, નહીં તો આ વસ્તુઓ તમારી ગરીબીનું કારણ પણ બની શકે છે.
કાળું નાણું
જ્યાં તમે પૈસાને આલમારીમાં રાખ્યા છે તેની આસપાસ કાળા રંગની કોઈ પણ વસ્તુ ના રાખો. ઉદાહરણ તરીકે, કાળા કપડાં અથવા પર્સમાં પૈસા અથવા ઘરેણાં ભુલ થી પણ રાખશો નહીં. આ કાળો રંગ પૈસાને વધવા દેતો નથી. કાળા રંગમા નકારાત્મક ઉર્જા પણ વધારે હોય છે.
તેથી તમારા દાગીના અને પૈસા શક્ય ત્યાં સુધી લાલ અથવા પીળા કપડામાં લપેટીને તેને એક આલમારી અથવા તિજોરીમાં લોક રાખો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થવાની શક્યતા વધી જાય છે.