કહેવામાં આવે છે કે દરેક વસ્તુ જો રાશિ અનુસાર કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. એવામાં આજથી તમે તમારી પાસે રાશિ અનુસાર પર્સ રાખશો તો તમને ધન લાભ થવાનો શરૂ થઇ જશે.
આવો જોઇએ રાશિ મુજબ કયા રંગનું પાકિટ રાખવું જોઇએ. જો તમારી પાસે હંમેશા જ આર્થિક તંગી રહે છે તો તે કોઇપણ કારણ વગર તમારી પાસે પૈસા રહેતા નથી.
પૈસા આવતા જ ખર્ચ થઇ જાય છે. તો તમારી આ સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે. તેનું કારણ તમારા પાકીટનો રંગ પણ હોય શકે છે.
કર્ક, સિંહ, કન્યા
આ રાશિના લોકોને તેમની પાસે મલ્ટી કલર કે હળવા રંગનું પર્સ રાખવું જોઇએ. આ રાશિના જાતકોએ તેમના પર્સમાં વધારે સામાન ન રાખવો જોઇએ. ધ્યાન રહે કે, પર્સમાં આછા વાદળી રંગનો રૂમાલ રાખો.
મકર, કુંભ અને મીન
કહેવામાં આવે છે કે આ રાશિના જાતકોએ તેમની પાસે ક્રીમ કે પીળા રંગનું પર્સ રાખવું શુભ માનવામાં આવે છે અને પર્સમાં બિનજરૂરી કાગળ ન રાખવા જોઇએ. ધ્યાન રહે કે તમે તમાર પર્સમાં લાલ ચંદનનું લાકડું અવશ્ય રાખો.
તુલા, વૃશ્વિક, ધન
આ રાશિના જાતકોએ તેમની પાસે લાલ કે કોફી કલરનું પર્સ રાખવું જોઇએ. ધ્યાન રહે કે ક્યારેય પર્સને ખાલી ન રાખો. તેમા તમે ચાંદીની વસ્તુ અવશ્ય રાખો.
મેષ, વૃષભ, મિથુન
કહેવામાં આવે છે કે આ રાશિના લોકોએ તેમની પાસે લાલ કે બ્રાઉન રંગનું પર્સ રાખવું જોઇએ. જે ખૂબ લાભદાયી હોય છે. તમારા પર્સમાં બિનજરૂરી વસ્તુઓ ના રાખો. પરંતુ પર્સમાં થોડીક દુર્વા રાખો.