સમુદ્રશાસ્ત્રમાં શરીર પરના તલ ઉપરાંત એવા નિશાનની પણ જાણકારી મળે છે જે વ્યક્તિના ભાગ્યોદના સંકેત કરે છે. તો આજે જાણો શરીરના અલગ અલગ અંગ પરના કયા નિશાન કરે છે ભવિષ્યમાં મળનાળી સુખ-સમૃદ્ધિ તરફ ઈશારો.
નાભિ ઊંડી અને ઉપરની તરફ હોય તો તે વ્યક્તિનું જીવન સુખમય રહે છે.
જે વ્યક્તિનું નાક પોપટની ચાંચ જેવુ ધારદાર હોય તો તે પણ એ વાતનો સંકેત હોય છે કે વ્યક્તિ ધનવાન અને સપંન્ન થશે.
હથેળીમાં કમળના ફુલનું નિશાન પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આવા વ્યક્તિ પાસે ધનની ક્યારેય ખામી રહેતી નથી.
જે વ્યક્તિની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચિન્હ હોય તે ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ પાસે અપાર ધન સંપત્તિ હોય છે.