દેશમાં મિત્રો ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દેવી દેવતાઓના દર્શન કરવા માટે જતા હોય છે અને ભગવાન બધા જ ભક્તોના દુઃખો દૂર કરીને તેમના જીવનની બધી જ મનોકામના પુરી કરતા હોય છે. તેવું જ આ મંદિર વલસાડ થી માત્ર આઠ કિલોમીટર દૂર પાનરેના ડુંગર પર દેવી નવદુર્ગા, મહાકાળી માતા અને દેવી ચંદ્રિકા બિરાજમાન છે.
આ કિલ્લામાં ચામુંડામાતાની વિશ્વની એક માત્ર ત્રિમૂર્તિના દર્શન કરવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે. નવરાત્રીના સમયે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. આ મંદિરમાં આસો સુદ આઠમના દિવસે ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધારુઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.
આ મંદિરની એક માન્યતા પ્રમાણે નવરાત્રી સમયે મંદિરમાં ગરબા રમવાથી તમામ ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી થાય છે. પાનરેનાના ડુંગર પર શિવાજીનો કિલ્લો પણ આવેલો છે. આ મંદિરમાં આરતીના સમયે સવારે અને સાંજે ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. આ મંદિરના ઇતિહાસ વિષે જાણવામાં આવે તો શિવાજી જયારે જઈ રહ્યા હતા.
ત્યારે પાનરેના ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિ કરી હતી તો માતાજીએ પણ શિવાજીને સંકેત આપ્યા હતા. આથી આ મંદિરમાં માતા ચામુંડાની કૃપાથી આજ સુધી બધા જ ભક્તોના જીવનમાં માંથી દુઃખો દૂર થઇ ને તેમના જીવનમાં માતાજી સુખ અને શાંતિ ભરી દેતા હોય છે.