માલિશનો પ્રયોગ આપણા ત્યાં પ્રાચીન સમયથી થઇ રહ્યો છે. પરંતુ ઘણા લોકો આજે પણ પેટ માલિશના ફાયદાથી અજાણ છે. પેટ મસાજથી દર્દ,તણાવ અને પેટની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પેટ મસાજ રોજ કરવાથી શારીરિક તથા માનસિક રૂપથી ફિટ રહી શકાય છે.
પેટની માલિશ કરવા માટે સૌ પ્રથમ જમીન પર સુઇ જાવ. ત્યારબાદ હાથમાં તેલ લઇને રાઉન્ડમાં મસાજ કરો. 3 મિનિટમાં 30થી 40 વખત રાઉન્ડ કરો.
જાણો પેટ માલિશના ફાયદા……
વજન ઘટાળો
પેટ પર માલિશ કરવાથી પાચનક્રિયા ઝડપી બને છે. જે લોકો પેટની ચરબી ઓછી કરવા માંગે છે પરંતુ કોઇ ફાયદો થતો નથી તેવા લોકોને આનાથી ફાયદો થશે.
પેટ ફૂલવાની સમસ્યા
ખોરાક સારી રીતે ન પચવાને કારણે પેટ ફૂલવા અને ગેસની સમસ્યા થાય છે. પેટની માલિશ કરવાથી પેટનો ગેસ નીકળી જાય છે.
કબજીયાત થી છુટકારો
કબજીયાત અને પેટના દુખાવાથી છુટકારો મળે છે. પેટ પર મસાજ કરવાથી માસપેશિયોમાં ગરમી ઉત્પન્ન થાય છે.જેને કારણે તમને આરામ મળશે.
તણાવ અને ચિંતાથી છુટકારો
માલિશથી મગજ શાંત થઇ જાય છે અને તણાવ ઓછો થાય છે. જેના કારણે મગજને આરામ મળે છે.
પેટના રોગોથી મુક્તી
નિયમિત રીતે પેટની માલિશ કરવાથી તમને કોઇ પેટની બિમારી થશે નહી. પેટ ફુલવું, પેટનો દુખાવો, ગેસ વગેરેમાં રાહત મળે છે.